You are currently viewing ડાયાબિટીસ-મધુપ્રમેહ રોગ અને પ્રાકૃતિક ચિકિત્સા જાણો

ડાયાબિટીસ-મધુપ્રમેહ રોગ અને પ્રાકૃતિક ચિકિત્સા જાણો

ઘણા લોકોએ ડાયાબીટીસ ને અસાધ્ય રોગો માં સમાવી લીધો છે અને તે સજ્જડ રીતે માની લીધું છે કે તેનો કોઈજ ઈલાજ સંભવ નથી તો તે ખરેખર ખોટું છે તમે જે માની લો છો તે તમારી સાથે થાય છે

માટે પોજીટીવ સકારાત્મક બનો અને જીવન માં હમેશા કોઇપણ સમસ્યાઓ ને સકારાત્મક દ્રષ્ટિકોણથી ઉકેલ લાવવા નો પ્રયત્ન હમેશા આપણા સો નો હોવો જ જોઈએ

કુદરતી ઉપચાર એ કોઈ ચિકિત્સા પધ્ધતિ નથી આ તો જીવન જીવવા ની સાચી કળા એક સાચો પથ છે મિત્રો આપણે જાણીએ જ છીએ કે જો શરીર નો કચરો વિશ્દ્રવ્યો જો સહેલાઇ થી બહાર નીકળી જાય તો કોઈપણ રોગો આપણને થાય નહી.

પરંતુ આજે આપણા મુખ્ય હવા પાણી અને ખોરાક દરેક માં ભેળ સેળ હોયજ છે નથી શુદ્ધ હવા નથી ચોક્ખું પાણી અને ખોરાક માં તો નજાણે કેટલા કીટ નાશક અને કેમિકલ્સ જે ખોરાક ને લાંબો સમય ફ્રેશ રાખે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આજ ની આધુનીક ઉપચાર પદ્ધતિઓ તેના લક્ષણ મુજબ રોગો ને અલગ અલગ નામ આપવામાં આવે છે અને તેની દવા બનાવી લોકો ને આપવામાં આવે છે આજે એક જ રોગ માટે લાખો પ્રકાર ની દવાઓ સીરપો ઇન્જેકશનો અને બીજું ઘણું હોય છે

એક દુનિયાભર માં થયેલ WHO ના સર્વે મુજબ આખા વિશ્વ માં આશરે ૪૨૨ મીલીયન લોકો ડાયાબીટીસ રોગ ના પીડિત છે જે ના માં મોટા ભાગ ના લોકો લો અને મિડલ ઇન્કમ દેશો માં રહે છે અને 1.૬ મીલીયન લોકો ના મૃત્યુ ડાયાબીટીસ ના કારણે થાય છે

ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગ ખોરાકમાંના પોષક ઘટક કાર્બોદિત પદાર્થના ચયાપચયની ખામીથી ઉદ્દભવતો રોગ છે

જેમકે અતિ ચા, કોફી, સરબતો, આઈસ્ક્રીમો, અન્ય કાર્બોનિટેડ ઠંડા પાણીઓ, મિઠાઇઓ, અતિ ભારે ચરબીયુક્ત ખોરાક, બેઠાડુ જીવન, માનસિક તાણ, વારસાગત, વ્યાયામ-કસરતનો અભાવ, અયોગ્ય આહાર-વિહાર, વધારે વજન વગેરે.

રોજ બરોજના સમતોલ પ્રમાણસર માફકસર ખોરાક માંથી મળતી સાકર સહેલાઈથી પછી જાય છે. પરંતુ વધારાની સક્ર-ખંડ-કાર્બોદિત પદાર્થના પાચન માટે આપણા શરીરમાં આવેલું સ્વાદુપિંડ ગ્રંથી ઉપર ખોબ બોજો ભાર પડે છે જેને પરિણામે તે નબળી પડી જાય છે અને તેના બીટા કોષમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ કે જેને ઇન્સુલીને તરીકે ઓળખવામાં આવે છે, તેનું પ્રમાણ ઓછુ થાય છે.

સુગર લેવલ

ડાયાબિટીસ ની આયુર્વેદિક દવા

પરિણામે ખોરાક દ્વારા લેવાયેલી વધારે સાકરને પચાવવાના કાર્યમાં ખામી ઉત્પન્ન થાય છે.તેથી વધારાની પાચન થયા વગરની ખાંડ લોહીમાં ફરતી રહે છે. સામાન્ય રીતે આનું પ્રમાણ ૮૦ થો ૧૨૦ મીલીગ્રામ હોય છે. જયારે આનાથી વધારે માત્રા-પ્રમાણ જોવા મળે છે ત્યારે ડાયાબીટીસ નામનો રોગ આપણા શરીરમાં ઉત્પન્ન થયો હોય છે તેમ કહેવાય.

ડાયાબિટીસ કેટલું હોવું જોઈએ

ડાયાબિટીસ થવાના કારણો અને તેના લક્ષણો

સામાન્ય રીતે ડાયાબિટીસ ના કારણો લક્ષણો જેવા કે,
  • વારંવાર પેશાબ માટે જવું
  • ખુબ તરસ લાગવી
  • ખુબ ભૂખ લાગવી
  • વજન ઘટવું
  • પગમાં કળતર થવું
  • પીંડી કડવી
  • ખાલી ચઢી જવી
  • ચામડીના રોગો થવા
  • નબળાઈ લાગવી
  • ગુપ્ત ભાગોમાં ખંજવાળ-ચળ-ખુજલી આવવી
  • મોઢામાં મીઠો-મીઠો સ્વાદ આવ્યા કરે
  • મોઢું સુકાય
  • આખે ઝાંખપ આવે
  • ચશ્માંના નમ્બર માં વારંવાર ફેરફાર થાય
  • ગુમડા નીકળે
  • ઈજાઓમાં પાક રસી થાય
  • શરીરે ચળ આવે
  • ઘાવ ન રૂઝાય

વગેરે એક કે એક કરતા વધારે લક્ષણો ચિન્હો જોવા મળે છે .પરંતુ ઘણીવખત કોઇપણ જાતના લક્ષણો જોવા મળતા નથી એટલે કે અલાક્ષણીક ડાયાબીટીસ હોય ત્યારે લક્ષણો નો અભાવ જોવામાં આવે છે. પરંતુ લોહી -પેશાબ ની તપાસ દ્વારા જાણીએ ત્યારે તપાસ હકારાત્મક (પોઝીટીવ) આવે છે.

ખરેખર ડાયાબીટીસ ને હ્વ્વો બનાવી દીધો છે એલોપેથી દવાખાનાઓ ના તો ડાયાબીટીસ ના દવાઓ વહેચવાનું ટાર્ગેટ કરી ધરખમ કમાણી કરવામાં આવે છે

પરંતુ આપ જો કુદરતી નિયમો પાડો તો જરૂરથી ડાયાબીટીસ સામે ફાઇટ આપી શકો
  • આ રોગમાં દવા જેટલુજ અને માંનોતો વધારે આહારમાં પરેજી અને શારીરિક કસરતનું છે. કારણકે પ્રમાણસર કસરતથી શરીરમાં ગ્લુકોઝનું વધે છે અને તેથી ઇન્સુલીનનું કાર્ય ચેતનવંતુ બને છે
  •  કસરત એ સોથી સરળ ઉપાય છે રોજ તમે ૫ મિનીટ- દસ મિનીટ ધીમે ધીમે શરૂઆત કરી શકો છો અને તમારી ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ વધારી શકો છો
  • વધારે પડતી ખાંડ, ગોળ, મીઠાઈઓ વગેરે માપમાં લેવા
  • કાર્બોદિત પદાર્થ જેવા કે ઘાવ ચોખા ઓછા લેવા
  • લીલા શાકભાજી જેવા કે કોબી , દુધી, મૂળા, રીંગણ, પાલક , ટામેટા, સરગવો, ગુવાર, લીલા પાનવાડી ભાજીઓ છૂટથી ખવાય
  • રેસા વાળો ખોરાક લેવાથી કબજિયાત માં ફાયદો
  • તેલ,દૂધ, ફ્રુટ, કઠોળ, ઈંડા, ડોક્ટરની સલાહ લેવી
  • તળેલા ખોરક ઓછો લેવો
  • એકટણા ઉપવાસ ન કરવા
  • ખુલ્લા પગે ના ચાલવું, પગમાં બૂટમાં, ચંપલ નડે તેવા ન પહેરવા
  • હાથ પગ ની આંગળીયો માં નખ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવું
  • ચક્કર આવવા લાગે , પરસેવો થાય, ગભરામણ, આંખે અંધારા , જીભ થોથરવા માંડવી , તો ગ્લુકોઝ કે ખંડ સારી માત્રમાં લઈ લેવી કારણ કે આ બધા લોહીમાં ખાંડનું પ્રમાણ ઘટી જવાના લક્ષણ છે
  • દરેક પ્રકારનું વ્યસન અત્યંત હાનીકારક છે તરત જ છોડો

ડાયાબિટીસ શું જમવું શું ન જમવું

ડાયાબિટીસ માટે ખોરાક

ડાયાબિટીસ નો ઉપચાર

નેચરોપેથી માં તમારા શરીરનો કચરો પુરેપુરી રીતે બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે જેનાથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય છે શરીર આંતરિક શુદ્ધીજ દરેક રોગો નું રામબાણ ઉપાય છે માટે નેચરોપેથી સારવાર કેન્દ્રોની મુલાકાત લો અને દરેક સારવાર ની સમજણ કેળવો જેનાથી દરેક રોગોનો ઉપાય સંભવ છે

Comment Here (Login by Google or Facebook) Click on icon ⬇️