હેલ્થ ટીપ

લોહીના ફિક્કાસ થી થતી તકલીફો, તેની પાછળના કારણો અને તેનો ઉપાય

લોહીના ફિક્કાસથી થતી તકલીફો

  • થોડુક કામ કરતાજ થાક લાગે, અશક્તિ લાગે
  • વધુ કામ કરતા કે ચાલતા સ્વાસ ચડે
  • કમર દુઃખે, પગ દુઃખે
  • ચક્કર આવે, આખે અંધારા આવે
  • ભૂખ ઓછી લાગે
  • હાથ, પગની આંગળીયોમાં ખાલી ચઢે.
  • સ્વભાવ ચીધીયો થઇ જાય
  • સગર્ભાવસ્થામાં અને સુવાવડમાં તકલીફ થાય
  • પગે સોજો ચઢે હ્રદય નબળું પડે.

લોહી ફિક્કું પડવાના મુખ્ય કારણો

  • અપૂરતો ખોરાક
  • વારંવાર મેલેરિયા કે અન્ય ચેપી રોગો થવા.
  • માસિક વધુ પડતું કે વારંવાર વધુ દિવસ આવવું.
  • ઉપર ઉપરી સુવાવડ કે વારંવાર કસુવાવડ
  • કરમિયાં (અંકોડી કૃમિ)
  • હરસ-મસા કે અન્ય રીતે લોહી વહી જવાથી
  • વધુ પડતી ચહા કે કોફી પીવાથી લોહતત્વનું શોષણ ઓછુ થાય છે.

લોહી લાલ કરવાનો ઉપાય

  • પૂરતો ખોરાક લેવો
  • લોહતત્વ, વિટામીન સી, ફોલિક એસીડ, પ્રોટીન, કેલેરી વગેરે પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ.
  • લોહી ફિક્કું પડવાના કારણો શોધી તેને દુર કરવા જેમકે કરમિયા માટે ગોળી લેવી , મલેરિયા અટકાવવો, વધુ માસિક આવતું હોય તો તેની સારવાર કરવી વગેરે
  • આયર્ન – ફોલિક એસીડની ગોળી લેવી (બાળકના હાથમાં ગોળીન જવા દેવી તથા કબજિયાત કે અન્ય આડઅસર જણાય તો ગોળી ઓછી કરવી) આ ગોળી સરકારી દવાખાના માં મફત મળે છે

લોહતત્વ વાળા ખોરાકનો ડાયટપ્લાન

  • રોજીંદી આયર્નની જરૂરિયાત ૩૦મી.ગ્રા છે.
  • લીલા પાન વાળી ભાજીમાંથી લોહતત્વ, વિટામીન સી અને ફોલિક એસીડ પૂરતા પ્રમાણ માં મળે છે.
  • લોખંડના વાસણમાં દાળ કે શાક રાંધવાથી ભરપુર લોહતત્વ મળે છે
  • વિટામીન સી માટે આમળા, જામફળ, ફણગાવેલા મગ ખુબ ઉપયોગી છે

૧૦૦ગ્રામ ખાધ પદાર્થમાંથી મળતું લોહતત્વનું પ્રમાણ.

  1. અસારીયો ૧૦૦ મી.ગ્રા. (શિયાળામાં એક ચમચી ખાઈ શકાય)
  2. કળા તલ ૫૫ મી.ગ્રા.
  3. ફુલાવરના પાન ૪૦ મી.ગ્રા. (ધોઈ ને જ ખાવા)
  4. ચણાના પાન 24 મી.ગ્રા.
  5. દેશી પોઆ 2૦ મી.ગ્રા.
  6. બાજરી ૧૦ મી.ગ્રા.
  7. પોઈ ની ભાજી ૧૦ મી.ગ્રા.
  8. લીલા પાનવાળી ભાજી ૫ થી 1૦ મી.ગ્રા.
Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

1 મહિનો ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

3 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

3 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago