ડાયટ

સંધિવા-આર્થરાઈટીસ નો કુદરતી નિસર્ગોપચાર

સંધિવા કે આર્થરાઈટીસ એ શરીરના સાંધામાં થતો રોગ છે

જેના થી સાંધા માં અસહ્ય પીડા થાય છે અને સાંધા કે જોઈન્ટસ વાંકા ચુકા થઇ જાય છે ફોટા માં બતાવ્યા પ્રમાણે

સંધિવા એ કમર, પગ, ઘુટણ, ગરદન, ના ભાગો માં પોતાની અસર કરે છે,  ઘણા એલોપેથી ડોક્ટર્સ આમાં તમારા ફેટ ચરબી ને કારણ ગણે છે પણ તે સત્ય નથી સંધિવા નું મુખ્ય કારણ પ્રોટીન છે કારણ કે પ્રોટીન નું યુરિક એસીડ- એમીનો એસીડ માં રૂપાંતર થાય છે તેમાંથી ફેટી એસીડ બને છે આમ ડાયરેક્ટ ફેટ વાળો ખોરાક કે ઇનડાયરેક્ટ ફેટ વાળો ખોરાક

પ્રોટીન વાળા ખોરાક નો ખુબજ ગંદો વ્યાપાર કરવામાં આવે છે ઈંડા-મત્સ્ય ઉદ્યોગ વાળા મીડિયા ના ઉપયોગ થી “સન્ડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે” જેવા ભ્રામક એડ કરી લોકો ના મન માં ખોટું ભૂસું ભર્યું છે વીસ વર્ષ પછી શરીર ની વૃદ્ધી અટકી જાય છે ત્યારે શરીર પ્રોટીન નો દુર ઉપયોગ કરે છે અને તે પ્રોટીન  નું  યુરિક એસીડ બનાવે છે

પ્રોટીન નો અતિરેક એ માનવજાતિ માટે ઘણા રોગોનું કારણ છે સંધિવા એ વધારે વજન વાળા વ્યક્તિ ને વધારે થાય છે અને કોઇપણ રોગ વજન ઘટ્યા વગર મટતો નથી

નીચે કેટલીક પરેજીઓ બતાવી છે જે પાડસો તો રાહત તો જરૂરથી થશે 

સંધિવા નો ઉપાય કેવલ અને કેવલ નેચરોપથી ઉપચાર માંજ છે દુનિયાભરના ડોકટરો ની જોડે લાખો વેળફસો તોય રાહત નય જણાય

સોથી સરળ અને જીવન ને અલગ જ નજરે જોવાનો ઉપાય સવારે પથારી માં પડી રહ્યા કરતા ઉઠો બે કિલોમીટર નજીકના રસ્તા કે પાર્ક માં ફરો ઊંડા શ્વાસો શ્વાર્સ કરો ઓમ કાર કરો

ત્યારબાદ દિનચર્યા કરો જે લેટરીન માં લાંબો સમય બેસી રહે છે તેને કબજિયાત છે કુદરતી ઉપચાર માંજ આનો ઉપાય છે બીજે ક્યાય નય

સવારે નાહવામાં ખરબચડા રૂમાલ વાપરો અને સાબુ નો ઉપયોગ ટાળો એ તમારા ચામડીના છીદ્રો વાટે નીકળતા ચિકના પદાર્થ ને ધોઈ નાખે છે સાદા લીમડા સાબુ જે ગૃહઉદ્યોગ વાળા અથવા કુદરતી ઉપચાર માં પણ ઉપલબ્ધ હોય છે તેવા સાબુ ની ટેવ પાડો

ત્યાર બાદ ચા કોફી માં ખાંડ ઓછી અને ધીરે ધીરે સવારે ચા કરતા ફળો ના સેવન પર પ્રયાણ કરો થોડું અઘરું લાગશે પણ પરિણામ ચમત્કારિક હશે અને નારંગી – ચીકુ વગેરે ના રસો ની મજા કઈક અલગજ છે

સાબુ કે ટુથપેસ્ટ ની એડ થી ભરમાંસો નહી થોડું જાણો દાતના પેઢા ના જીવાણુઓ મોઢામાં ટાઈલીન ની અંદર એવો એસીડ છે જે કોઈ પણ જીવણું ને દાખલ થતાજ મારી નાખે છે તો ટુથપેસ્ટ થી શું  કરવાના તેના કરતા મીઠું કે બાવળ ના દાતણ ટુથપેસ્ટ નેય પછાડી નાખે તેવી તાજગી આપશે

સુતી વખતે દૂધ અત્યંત હાની કારક છે તેને પચાવવા તમારા પાચનતંત્ર ને આરામ મળતો જ નથી હમણાં તો સંધ્યા નો ખોરાક પચ્યો ણ હોય અને બીજું કામ તરત તેયાર રાખો છો સવારે તરતજ બીજો સ્ટોક તેયાર તમારા પાચન તંત્ર ને આરામ છે જ ન્ય માટે સમજીજાઓ

જમવામાં કાચા અને લીલા પાન વાળી ભાજી, મગ તેવી ચીજો વધુ ગુણ કરશે તો આમ આ ઘરેલું નુસખા ખુબ રાહત આપશે પરંતુ જળમૂળ થી દરેક રોગો નો ઉપાય માટે કુદરતી ઉપચાર નો આગ્રહ રાખવો સસ્તું સારું થોડો સમય લે પણ જળ મૂળ થી રોગોને તમારા જીવન માંથી ઉખાડી સ્વસ્થ કરી  શકે છે .

Share

Recent Posts

ડેન્ડ્રફ : માથામાં ખોડાનો કુદરતી ઉપચાર

ડેન્ડ્રફ શું છે? ડેન્ડ્રફ, જેને સ્થાનિક ભાષામાં માથામા ખોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સહજ રીતે ઉદ્દભવતી ત્વચા…

1 મહિનો ago

ડાયાબિટીસનો કુદરતી ઉપચાર: નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સા

ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ એ એક ક્રોનિક આરોગ્ય સમસ્યા છે જે શરીરમાં બ્લડ શુગર, અથવા ગ્લૂકોઝ,ના સ્તરને અસર કરે છે.…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ

પરિચય પ્રાકૃતિક ઉપચારમાં મોસમને અનુરૂપ ખોરાકનું મહત્વ અનન્ય છે. આ પ્રાચીન પદ્ધતિ આપણા શરીરની કુદરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે…

3 મહિના ago

આયુર્વેદિક હર્બલ ઉપચાર: ઔષધિઓના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ

પરિચય આયુર્વેદિક હર્બલ ઉપચાર, પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ, જેમાં હર્બલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેની એક વિશિષ્ટ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ…

3 મહિના ago

પ્રાકૃતિક ઉપચારના લાભો: 25 વર્ષના અનુભવમાંથી શીખેલી વસ્તુઓ

પ્રાકૃતિક ઉપચાર શું છે? પ્રાકૃતિક ઉપચાર આરોગ્ય અને સુખાકારી માટે કુદરતી પદ્ધતિઓ અને ઉપચારનો ઉપયોગ કરવાનો એક અભિગમ છે. આ…

3 મહિના ago

અળસી (ફ્લેક્સ સીડ) ખાવાના ફાયદા અળસી સ્વાસ્થ્ય લાભ

અળસીનું પરિચય અળસી, જેને ફ્લેક્સ સીડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લિનમ યૂસિટેટિસિમમ નામના પ્લાન્ટમાંથી મળતું એક પૌષ્ટિક બીજ…

3 વર્ષ ago